કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના હેતુથી નાગરિકોમાં ઘરગથ્થુ ઉપચાર નો વપરાશ વધે અને લોકો પોતાની દિનચર્યા એવી રાખે કે બીમાર જ ન પડે “પહેલુ સુખ તે જાતે નર્યા” એ ઉક્તિને સાર્થક કરવા ગ્રામ પંચાયતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આયુર્વેદિક શાખામાંથી મેડીકલ ઓફિસરો ડોક્ટર જીગ્નેશ ઠક્કર અને ડો કિશન ગોસ્વામી એ લોકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દિનચર્યા અને આપણી આસપાસ ની ઉપલબ્ધ વનસ્પતિ ની ઉપયોગીતા વિષે સમજ આપી હતી. ગામના સરપંચ સુરેશભાઈ છાંગાએ સ્વાગત સાથે આ કાર્યક્રમનો હેતુ પણ સમજાવ્યું હતું અને આ વિષય પર નિયમિત કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતિ લાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ સમયે સેતુ અભિયાન-કોડકી ,સેન્ટરફોર હેરીટેજ મેનેજમેન્ટ અને ખયાલ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.
કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...
Thanks for sharing this on page.it was a nice experience talking with villagers .Sarpanch shree suresh hai is young and dineamic personality.
ReplyDeleteWill love to share knowledge and talk with villagers again .district ayurveda branch is keen to provide best services to the society.