Skip to main content

ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદિક વિજ્ઞાન નો પરિચય

કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના હેતુથી નાગરિકોમાં ઘરગથ્થુ ઉપચાર નો વપરાશ વધે અને લોકો પોતાની દિનચર્યા એવી રાખે કે બીમાર જ ન પડે “પહેલુ સુખ તે જાતે નર્યા” એ ઉક્તિને સાર્થક કરવા ગ્રામ પંચાયતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આયુર્વેદિક શાખામાંથી મેડીકલ ઓફિસરો ડોક્ટર જીગ્નેશ ઠક્કર અને ડો કિશન ગોસ્વામી એ લોકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દિનચર્યા અને આપણી આસપાસ ની ઉપલબ્ધ વનસ્પતિ ની ઉપયોગીતા વિષે સમજ આપી હતી. ગામના સરપંચ સુરેશભાઈ છાંગાએ સ્વાગત સાથે આ કાર્યક્રમનો હેતુ પણ સમજાવ્યું હતું અને આ વિષય પર નિયમિત કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતિ લાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ સમયે સેતુ અભિયાન-કોડકી ,સેન્ટરફોર હેરીટેજ મેનેજમેન્ટ અને ખયાલ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.


Comments

  1. Thanks for sharing this on page.it was a nice experience talking with villagers .Sarpanch shree suresh hai is young and dineamic personality.
    Will love to share knowledge and talk with villagers again .district ayurveda branch is keen to provide best services to the society.

    ReplyDelete

Post a Comment