Skip to main content

ઘરગથ્થુ ઉપચાર અને આયુર્વેદિક વિજ્ઞાન નો પરિચય

કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના હેતુથી નાગરિકોમાં ઘરગથ્થુ ઉપચાર નો વપરાશ વધે અને લોકો પોતાની દિનચર્યા એવી રાખે કે બીમાર જ ન પડે “પહેલુ સુખ તે જાતે નર્યા” એ ઉક્તિને સાર્થક કરવા ગ્રામ પંચાયતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આયુર્વેદિક શાખામાંથી મેડીકલ ઓફિસરો ડોક્ટર જીગ્નેશ ઠક્કર અને ડો કિશન ગોસ્વામી એ લોકોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દિનચર્યા અને આપણી આસપાસ ની ઉપલબ્ધ વનસ્પતિ ની ઉપયોગીતા વિષે સમજ આપી હતી. ગામના સરપંચ સુરેશભાઈ છાંગાએ સ્વાગત સાથે આ કાર્યક્રમનો હેતુ પણ સમજાવ્યું હતું અને આ વિષય પર નિયમિત કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતિ લાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ સમયે સેતુ અભિયાન-કોડકી ,સેન્ટરફોર હેરીટેજ મેનેજમેન્ટ અને ખયાલ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા.


Comments

  1. Thanks for sharing this on page.it was a nice experience talking with villagers .Sarpanch shree suresh hai is young and dineamic personality.
    Will love to share knowledge and talk with villagers again .district ayurveda branch is keen to provide best services to the society.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે                73 મો બંધારણીય સુધારો આવ્યો અને 1993થી પંચાયતીરાજ ધારો ગુજરાતમાં લાગુ પડયો આ અધિનિયમ થી સ્થાનીય શાસન માં ત્રણ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ને મજબુત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે સુધારો થતા બંધારણમાં 243g ઉમેરવામાં આવી છે જે પંચાયતોમાં સામાજિકન્યાય અને આર્થિકવિકાસ માટે આયોજન કરવાનું સુચવાયેલ છે પરંતુ અલ્પ મદદ અને ક્ષમતાના અભાવે પંચાયતોમાં આયોજન થઈ શક્યા નહીં અઢી દાયકામાં સરકારે સ્થાનીક આયોજન બને એ માટે ઘણા નવતર પ્રયોગો કર્યા પણ આ બધા અપૂરતા રહ્યા  1 એપ્રિલ 2016થી ભારત સરકારે સબકી યોજના સબકા વિકાસ ના નામે ગામેગામ આયોજન બનાવવા આહ્વાન કરાયું પીપલ્સ પ્લાન કેમપેઈન થી ઘણા બધા ગામોએ પ્રયત્ન કર્યા તેમ છતાં આદર્શ પરિસ્થિતિ હજુ અપેક્ષિત છે આ વર્ષે જિલ્લા પંચાયત કચ્છ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થઈ રહી છે જે આવકાર્ય પહેલ છે ગ્રામ પંચાયતોને આહ્વાન છે કે તમામ 632 પં...

કુનરીયામાં વ્હાલી દિકરી ના વધામણા

  કુનરીયા ગામે  વ્હાલી દિકરી ના વધામણા કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસ કરવામાં આવી, જે સમગ્ર ગામ માટે અનોખો અને પ્રેરણાદાયી પ્રસંગ હતો. આ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૪માં જન્મેલા તમામ દિકરીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું અને તેમના માતા માટે પોષણ અને કાળજીના મહત્વ પર જાગૃતિ લાવવામાં આવી. દિકરીઓને પાઠવવામાં આવેલા પ્રેમના ઉપહાર  આ પ્રસંગે દિકરીઓને (પછેડા) પહેરવાના કપડા ભેટમાં આપ્યા ગયા. આ પછેડા માત્ર એક ભેટ નથી, પરંતુ તે પંચાયતની દિકરી પ્રત્યેની લાગણી નું પ્રતીક છે. સાથે જ, માતાઓને પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે દિકરીના જન્મ પછી માતાના આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. માતા માટે ખાસ માર્ગદર્શન માતાઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકના શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ કાળજી અને પોષણના મુદ્દાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. આ માર્ગદર્શન માતા-દિકરીના ભવિષ્યને વધુ મજબૂત અને સુખમય બનાવવા માટે ખાસ તૈયાર કરાયું હતું.  સમુદાય માટે પ્રેરણાદાયી ક્ષણ આ કાર્યક્રમ માત્ર એક અનૂઠી ઉજવણી જ નહીં, પરંતુ સમાજમાં દિકરીઓ પ્રત્યે સન્માન અને પ્રેમની ભાવનાને વધારવાનો પ્ર...