Skip to main content

Posts

Showing posts from July, 2019

પાણી માટે લોક જાગૃતિ કરતા લોક સંવેદના ઉભી થાય એ માટે કુનરીયા મા ગ્રામ સભા યોજાઈ

ગત તારીખ 25 જુલાઈ ના રોજ કુનરીયા મુકામે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સુરેશભાઈ જાની સાહેબ Act માંથી મનીષાબા જાડેજા અભિયાનના ભાવેશભાઈ વાસ્મો માંથી કમલેશભાઈ સાધુ અને નરેગા માંથી અર્પિત ભાઈ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા હતા. જલ શક્તિ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વ્યક્તિગત અને સામૂહિક કે સાર્વજનિક જગ્યાઓમાં જળ સંરક્ષણની કેટલી સંભાવનાઓ છે અને કુનરીયા પંચાયતની કેટલી જરૂરિયાત છે એ બાબતને ધ્યાને રાખી વોટર સિક્યુરિટી પ્લાન એટલે જળ સુરક્ષા આયોજન બનાવવાની ચર્ચા થઈ સરકારના રિપોર્ટને લાલબત્તી સમજી જાગ્રત થઇ એક ગામની પીવાના પાણી પશુઓના અને સિંચાઇના પાણીની કેટલી જરૂરિયાત છે અને સિઝનનો કેટલો વરસાદ ગામ અને સીમમાં પડે છે એનો અભ્યાસ કરવા એક ટીમની રચના કરવામાં આવશે Act દ્વારા આ ભુજળ જાણકારોને તાલીમ આપ્યા બાદ આપણું ભૂગર્ભજળ કેટલું છે તેનો અભ્યાસ થશે આવા જળની ગુણવત્તા નો પણ અભ્યાસ થશે આવા ભૂગર્ભજળની સતત દેખરેખ થશે અને વર્ષના અંતે શું ફેરફાર થાય છે તે જોવામાં આવશે આ ઉપરાંત વડીલોની કોઠાસૂઝ અને પરંપરાગત જ્ઞાન નો ઉપયોગ કરી કુદરતી સ્ત્રોતોને જાણી-સમજી એનો પૂર્ણ ઉ

ગ્લોબલ વોર્મિંગ જેવા શબ્દો સામે કુનરીયા ગ્રામ્યજનોના દેશી પ્રયત્નો

“ ઉપાડશે કોણ મારૂ કામ એવુ અસ્ત થતા સુરજે પૂછ્યું                                                     સાંભળી જગત આખું નિરુતર રહયું પણ માટી નું કોડિયું બોલ્યું મારા થી બનતું હું કરી છુટીશ ” સામુહિક પ્રયત્નોથી વેશ્વિક સમસ્યા દુર કરવા નાના અને અગત્યના પ્રયત્નો થઈ રહયા છે   આપણે સૌએ ઓંઝોન માં ગાબડા,ગ્લોબલ વોર્મિગ અને જલવાયુ પરિવર્તન જેવા ઘણા શબ્દો સાંભળ્યા હશે અને ૪૦ ડીગ્રી તાપમાન માં બેસીને વાતો કરતા હોઈએ છીએ અનુગામી પેઢી ને સારૂ વાતાવરણ અને શુધ્ધ હવા આપવી આપણી ફરજ છે એ પણ સમજી એ પણ એ કઈ રીતે શક્ય છે ? પ્રશ્નાર્થ છે . થોડા જવાબો છે પણ એ બાબતે શંકા છે . કુનરીયા ગામના ૧૮૦ બહેનો છેલ્લા બે વર્ષ થી 19000વૃક્ષો નું વાવેતર કરી અને ઉછેરવા માટે નિયમીત પાણી ,નીદણ અને સંરક્ષણ કરે છે આગમી દિવસો માં લીબોડી ના ૧ લાખ બી એકત્ર કરી એના સીડ બોલ બનાવી વરસાદ વખતે સેઢા, વાડ અને સીમ માં નાખવાની તૈયારીઓ કરી રહી છે.

પ્રકૃતિપ્રેમી મેઘદૂત કાવ્ય ના રચયિતા મહાકવિ કાલિદાસ ની જન્મ જયંતિએ 5000 વૃક્ષો વાવી ઉછેરવા નો સંકલ્પ

ભુજ તાલુકાના કુનરીયા ગામે ગત તારીખ 3 જુલાઇ 2019 ના રોજ ધોરણ 1 અને આંગણવાડીના 51 બાળકો ના પ્રવેશોત્સવ વેળાએ કચ્છ યુનિવર્સિટીના એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા અભૂતપૂર્વ 5000 નું વાવેતર કરવામાં આવ્યું પ્રાકૃતિક સંપત્તિનો દોહન થઈ રહ્યું છે ત્યારે આવા પ્રયાસો પ્રેરક બને તે જરૂરી છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દર્શનાબેન ધોળકિયા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પ્રકૃતિનો આદર કરનાર ને પ્રકૃતિનો પ્રેમ મળે છે આજે વાવેલા વૃક્ષો અને પ્રવેશ પામેલા બાળકો આવતા વર્ષે કેટલી ચકલીઓને આમંત્રણ આપશે એ જોવા આવવાનું વચન આપ્યું હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર શૈક્ષણિક કાર્યમાં ગામ લોકોના સહકાર ને આવકાર્યો હતો વિકાસકાર્ય શાળા,પંચાયત કે અન્ય   વિભાગ નો નહીં એ મારો કાર્યક્રમ છે એવી ભાવનાથી કાર્યક્રમ માત્ર સરકારી પરિપત્ર ના પાલનથી ઉપર ગામલોકોની આદતમાં પરિણમ્યો છે જે વિકાસના માપદંડો ની યથાર્થ નિશાની ગણાય શકાય ખાનગી શાળાઓ માંથી સરકારી શાળામાં વાલીઓ અને બાળકો નો ઝુકાવ વધ્યો છે જે આદર્શ પરિસ્થિતિનું સૂચક છે આ ઉપરાંત બાળકોમાં શૈક્ષણિક વિકાસ સાથે જીવન મુલ્યોન