Skip to main content

પ્રકૃતિપ્રેમી મેઘદૂત કાવ્ય ના રચયિતા મહાકવિ કાલિદાસ ની જન્મ જયંતિએ 5000 વૃક્ષો વાવી ઉછેરવા નો સંકલ્પ


ભુજ તાલુકાના કુનરીયા ગામે ગત તારીખ 3 જુલાઇ 2019 ના રોજ ધોરણ 1 અને આંગણવાડીના 51 બાળકો ના પ્રવેશોત્સવ વેળાએ કચ્છ યુનિવર્સિટીના એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા અભૂતપૂર્વ 5000 નું વાવેતર કરવામાં આવ્યું પ્રાકૃતિક સંપત્તિનો દોહન થઈ રહ્યું છે ત્યારે આવા પ્રયાસો પ્રેરક બને તે જરૂરી છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દર્શનાબેન ધોળકિયા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પ્રકૃતિનો આદર કરનાર ને પ્રકૃતિનો પ્રેમ મળે છે આજે વાવેલા વૃક્ષો અને પ્રવેશ પામેલા બાળકો આવતા વર્ષે કેટલી ચકલીઓને આમંત્રણ આપશે એ જોવા આવવાનું વચન આપ્યું હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર શૈક્ષણિક કાર્યમાં ગામ લોકોના સહકાર ને આવકાર્યો હતો વિકાસકાર્ય શાળા,પંચાયત કે અન્ય   વિભાગ નો નહીં એ મારો કાર્યક્રમ છે એવી ભાવનાથી કાર્યક્રમ માત્ર સરકારી પરિપત્ર ના પાલનથી ઉપર ગામલોકોની આદતમાં પરિણમ્યો છે જે વિકાસના માપદંડો ની યથાર્થ નિશાની ગણાય શકાય ખાનગી શાળાઓ માંથી સરકારી શાળામાં વાલીઓ અને બાળકો નો ઝુકાવ વધ્યો છે જે આદર્શ પરિસ્થિતિનું સૂચક છે આ ઉપરાંત બાળકોમાં શૈક્ષણિક વિકાસ સાથે જીવન મુલ્યોનો વિકાસ થાય એ માટે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ શિલ્શિલામાં બાળમેળા નું આયોજન કરાયું અને એની કૃતિઓનું નિરીક્ષણ પણ  કરાયું આ પ્રસંગે કુમાર શાળાના આચાર્ય મીતાબેન પરમારે આવનાર તમામ મહેમાનોને આવકાર્યા હતા સરપંચ શ્રી સુરેશભાઈછાંંગા એ  સૌનું સ્વાગત કર્યું આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઇ પરમાર કચ્છયુનિવર્સિટીના એનએસએસ વિભાગના કોઓર્ડિનેટર ચિરાગભાઈ પટેલ,જીગ્નેશ ભાઈ તાળા,સેતુ અભિયાનમાંથી મનીષભાઈ,ધવલભાઇ અભિયાન માંથી અર્ચનાબેન,50 જેટલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને 200 જેટલા ગામના વાલીઓ આ પ્રોગ્રામમાં જોડાયા હતા કન્યા શાળાના આચાર્ય જયેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતિમાબેન અને નેહાબેન એ કર્યું હતું











Comments

  1. Khub j umda Kary sureshbhai Tamne ane Tamari akhi team ne khub khub abhinandan 👍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુનરીયા માં કિશોરી મીટીંગ નું આયોજન થયું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને  વ્યાખ્યાયિત કરી છે આવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક અને માનસિક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.ઍન.કન્નર સાહેબ ડો ગૌતમ પરમાર અને ડો માયાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન હિમોગ્લોબીનની ઉણપથી થતા રોગો અને તકલીફો થી અવગત કરાયા આ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિડિયોફિલ્મ થી તરુણીઓને માહિતગાર કરાયા ,તમામ ઉપસ્થિત તરુણીઓનો બ્લડ ટેસ્ટ કરાયો B.M.I. તપાસી કુપોષણથી થતી તકલીફો થી અવગત કરાયા તમામ તરુણીઓને સેનેટરી નેપ્કીન આપીને સ્વચ્છતા પર ભાર મૂકવા આહ્વાન કરાયું દીકરી વ્યસનથી દૂર રહેવાની હાકલ કરાઈ. ટકાઉ વિકાસના માપદંડ 3 મુજબ આરોગ્ય અને સુખાકારી માટે પંચાયત નિયમિત પ્રયત્નશીલ છે ત્યારે તરુણી ઓ ને આવા પ્રકારના માર્ગદર્શનથી અનુગામી દિવસોમાં ખૂબ સારો ફાયદો થશે અને ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ બનતી અટકશે ખાસ કરીને બ્રેસ્ટ અને સર્વાઈક્લ  કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ ડીસીઝ માટે ઉપયોગી માહિતી અપાઇ. સારવાર ...