ગત તારીખ 22 ના રોજ કુનરીયા કુમાર પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી જળસંકટ થી બચવા માટે પ્રાકૃતિક ઉપાય શું હોઇ શકે એ બાબતે વિદ્યાર્થીઓ પોતાના વિચારો અન્ય વિદ્યાર્થીઓ સામે મૂક્યા હતા જલ હૈ તો કલ હૈ જળ એજ જીવન save water save life જેવા નારા સાથે કુનરીયા ની શેરીઓ માં વિદ્યાર્થીઓએ નારાઓ ના ગુંજન સાથે રેલી કાઢી હતી શાળાના પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષકો એ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ના ઉપચારો સમજાવ્યાં કુનરીયા શાળાએ વૈશ્વિક સંકટ ના વિષય ઉપર પોતાનો ક્ષમતા મુજબ નો પ્રયાસ કર્યો જે અભિનંદન ને પાત્ર છે
Kunariya Shines at World Peace Art Competition with 52 Student Participants કુનરીયાના 52 જેટલા વિદ્યાર્થીઓએ વર્લ્ડ પીસ આર્ટ કંમ્પિટિશનમા ભાગ લીધો.
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સંઘર્ષો રોજબરોજની હેડલાઈન બની રહી છે ત્યારે ભારત જેવા રાષ્ટ્ર દ્વારા શાંતિની મજબૂત હિમાયત આશાનું કિરણ બની રહી છે તાજેતરમાં કુનરીયા ના વિદ્યાર્થીઓએ (દક્ષિણ કોરિયા)ઇન્ટરનેશનલ વિમેન પિસ ગ્રુપ (IWPG) અને બીએમઆઈ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ પીસ આર્ટ કમ્પિટિશનમાં ભાગ લઈ ભારતની શાંતિ સંબંધિત પ્રતિબંધતા તરફ એક ડગલું માંડ્યો છે આ સ્પર્ધામાં વિશ્વના સ્પર્ધકો ભાગ લે છે જેનો ઉદેશ્ય કલાના માધ્યમથી યુવાનો અને બાળકોના મગજને શાંતિપૂર્ણ વિશ્વની કલ્પના કરવા પ્રેરિત કરવાનો છે કુનરીયા ના વિદ્યાર્થીઓએ આ તકને ઉત્સાહ સાથે સ્વીકારી અને પોતાના ચિત્રો બનાવીને વિશ્વ શાંતિ ની પહેલને પોતાનું સમર્થન આપ્યું છે તેમની સહભાગીતા માત્ર તેમની ચિત્ર પ્રત્યેની રુચિનું પ્રમાણપત્ર નથી શાંતિની શક્તિમાં તેમની ધારણાનું પ્રતિબિંબ પણ છે તેમના ચિત્રો એકતા અને સંઘર્ષથી મુક્ત વિશ્વની સાર્વત્રિક ઈચ્છા નો સંદેશ આપે છે આ સ્પર્ધામાં ભાગ લઈ બાળકો સર્જનાત્મક કૌશલ્ય જ નહીં પણ વિશ્વ શાંતિ માટે પણ યોગદાન આપી રહ્યા છે આવા પ્રસંગો આગામી પેઢીની શાંતિ અને સમજણને ઉત્તેજન આપે છે કુ...
Khub saras kary
ReplyDelete