Skip to main content

સતત વારસાદ ના કારણે પાકમાં આવતી લશ્કરી ઈયળ ના નિયંત્રણ માટે કુનરીયા ના ખેડુતોને માર્ગદર્શન અપાયુ.







તારીખ 27 9 2019 ના રોજ કુનરીયા ગામે ખેડૂતોને પાકમાં આવતા રોગો વિશે માહિતી બાદ માર્ગદર્શન અપાયું.
            છેલ્લા એકાદ મહિનાથી વરસાદ સતત વરસી રહ્યો છે અથવા વાદળછાયું વાતાવરણ રહ્યું એકધારો સૂર્યપ્રકાશ કે તડકો જોવા મળ્યો નહીં એના કારણે એરંડા અને કપાસના પાકમાં આવતી ઈયળોને સાનુકૂળ વાતાવરણ મળ્યું અને લશ્કરી ઈયળો એ પાક પર હુમલો કર્યો આવિ ઈયળો થી બચવા અને વધારાના ખોટા ખર્ચ ના કરવા પડે એ હેતુ થી કુનરીયા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રોગ નિષ્ણાંત ડો અરવિંદે ખેડૂતોને માહિતી આપી. ડોક્ટર અરવિંદ એ પોતાની વાતમાં પાક ફેરબદલી અને અગાઉથી માવજતની ભલામણ કરી ખેડૂતોને મુજવતી બાબતોના જવાબો આપ્યા. ઉપરાંત આગામી દિવસોમાં ઘઉં અને રાયડાના વાવેતરમાં બિયારણની પસંદગી વાવેતર માટેનો અનુકુળ સમય જમીન ને ધ્યાનમાં રાખી બિયારણની જાત વગેરે બાબતો પર ઉડાંણ પૂર્વક માહિતી આપી.
          ACT સંસ્થાના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ જાડેજા એ S.R.I. પદ્ધતિથી ઘઉં વાવી વધારે ઉત્પાદન લેવા આહવાન કરાયું આગામી સિઝન 15 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમિયાન ખેડૂતો આ નવી પદ્ધતિથી ઘઉંનું વાવેતર કરશે આ માટે મધ્યપ્રદેશથી નિષ્ણાંત લોકો માર્ગદર્શન આપવા આવવાની જાહેરાત કરાઈ અનાજ ઉત્પાદન પર ગામ સ્વનિર્ભર બને એ માટે ખેડૂતોને એવા ઉત્પાદન લેવા આહ્વાન કરાયું. તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એટલા એકર માં ધાન્ય પાકોનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરાયા. ખાસ પાણીની ભૂગર્ભજળની નિર્ભરતા ને ધ્યાન રાખી ઓછા પાણીથી થતા પાક લેવા અને માઇક્રો સિંચાઈ પદ્ધતિ અપનાવવાની વાત કરી. કુદરતી સંસાધનોનો જવાબદારીપૂર્વક નો વપરાશ અને ઓછા સંસાધનો પૂરતું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એવી પદ્ધતિઓ શીખવાડવા ખેડૂતોને આહ્વાન કરાયું.
           આ તકે ICICI ફાઉન્ડેશનના ટીમ લીડર સોયબ ખાન ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સુરેશ છાંગાએ પધારેલા અને વિષય નિષ્ણાંતો નો આભાર માન્યો હતો.

Comments

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે                73 મો બંધારણીય સુધારો આવ્યો અને 1993થી પંચાયતીરાજ ધારો ગુજરાતમાં લાગુ પડયો આ અધિનિયમ થી સ્થાનીય શાસન માં ત્રણ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ને મજબુત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે સુધારો થતા બંધારણમાં 243g ઉમેરવામાં આવી છે જે પંચાયતોમાં સામાજિકન્યાય અને આર્થિકવિકાસ માટે આયોજન કરવાનું સુચવાયેલ છે પરંતુ અલ્પ મદદ અને ક્ષમતાના અભાવે પંચાયતોમાં આયોજન થઈ શક્યા નહીં અઢી દાયકામાં સરકારે સ્થાનીક આયોજન બને એ માટે ઘણા નવતર પ્રયોગો કર્યા પણ આ બધા અપૂરતા રહ્યા  1 એપ્રિલ 2016થી ભારત સરકારે સબકી યોજના સબકા વિકાસ ના નામે ગામેગામ આયોજન બનાવવા આહ્વાન કરાયું પીપલ્સ પ્લાન કેમપેઈન થી ઘણા બધા ગામોએ પ્રયત્ન કર્યા તેમ છતાં આદર્શ પરિસ્થિતિ હજુ અપેક્ષિત છે આ વર્ષે જિલ્લા પંચાયત કચ્છ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થઈ રહી છે જે આવકાર્ય પહેલ છે ગ્રામ પંચાયતોને આહ્વાન છે કે તમામ 632 પં...