Skip to main content

villagers committed to prevent the transmission of corona કોરોના સંક્રમણ થી બચવા કટિબદ્ધ ગામ કુનરીયા

કચ્છના કુનરીયા ગામનું કોરોના સામે લડતનું શ્રેષ્ઠ આયોજન
છેલ્લા ત્રણ વર્ષથી મનરેગાની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મેળવતું અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાકક્ષાએ સતત જીતનાર ભુજ તાલુકાનું કુનરીયા ગામ કોરોના સામેના જંગમાં હટકે કામગીરી કરી રહ્યું છે. વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસથી રાષ્ટ્રને બચાવવા ગ્રામપંચાયતો પણ વિશેષ જવાબદારી ઉઠાવી રહી છે. ત્યારે ખાસ કામગીરી સાથે કુનરીયા ગામને સુરક્ષિત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કચ્છ: છેલ્લા ત્રણ વર્ષથી મનરેગાની કામગીરી માટે શ્રેષ્ઠ એવોર્ડ મેળવતું અને આરોગ્ય ક્ષેત્રે જિલ્લાકક્ષાએ સતત જીતનાર ભુજ તાલુકાનું કુનરીયા ગામની ગ્રામ પંચાયતે તેના સક્રિય સરપંચ સુરેશભાઇ ગોપાલભાઇ છાંગાના નેતૃત્વ હેઠળ કોરોનાને હરાવવા માટેનો ખાસ પ્લાન અમલી બનાવ્યો છે. કુનરીયા, નોખાણીયા અને રૂદ્રમાતાના ગામ લોકો કોરોનાથી મુકત રહે તે માટે દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ સ્વયંભૂ શિસ્ત પાળતા ગ્રામજનો વધુ સતર્ક બન્યા છે. સરપંચ અને ગ્રામ આગેવાનોએ ''કુનરીયા આફત નિવારણ લોકસજ્જતા સમિતિ''ની રચના કરી છે.
લોકોમાં કોરોના વિશે સમજ આવે તે માટે પબ્લિક એનાઉન્સમેન્ટના તમામ સાધનો લાઉડસ્પીકર, ફોન કોલ, મેસેજ પોર્ટલ્સ, સોશિયલ નેટવર્ક, પોસ્ટર અને રીક્ષા દ્વારા સતત અને નિયમિત જાહેરાત કરી જનજાગૃતિ કેળવી હતી. કોરોના વાઇરસથી બચવા શું સાવધાની રાખવી તેની લોકોમાં સમજણ આપવામાં આવી હતી. જાહેર સ્થળો પર પણ લીક્વીડશોપ મુકીને સ્વચ્છતાની પ્રક્રિયા વર્તનમાં લાવવાનો અભિગમ કેળવાયો છે. ગામની તમામ શેરીઓ ટ્રેકટર સાથેના મશીન સાથે સેનીટાઈઝ્ડ કરાઇ છે. ગામમાં ત્રણથી વધુ લોકોએ કોઇ એક જ જગ્યાએ કોઇ વસ્તુ લેવા એકઠા થવું નહી ઉપરાંત આવશ્યક વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરવાના નિયમો બનાવી કડકપણે અમલવારી કરવામાં આવી છે.
કુનરીયા ગ્રામપંચાયત લોકડાઉન દરમિયાન આફત નિવારણ અને સજ્જતા સમિતિ દ્વારા સરકારની ગાઇડલાઈન્સની લોકોમાં અમલવારી કરાવી રહ્યું છે. મોં પર માસ્ક, ગમછો કે રૂમાલ ફરજીયાત બાંધવું તેમ સમજાવ્યા છે. તો ગામની બંને બાજુ સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે. શાકભાજી અને દૂધવાળા માટે નિયત જગ્યા નકકી કરાઇ છે. ત્રણ સ્વયંસેવકો સવારે ૭થી ૯માં દૂધ વિતરણ અને ૯થી ૧૧માં શાકભાજી વસ્તુઓનું વેચાણ નિયમ સાથે કરાવે છે.
ગ્રામ પંચાયતે કેન્દ્ર અને રાજય સરકારની યોજનાની અમલવારી કરાવવા આફત નિવારણ સમિતિના ૧૧ સભ્યોએ એન.એમ.આર. આશાવર્કર વગેરેથી ડોર ટુ ડોર કોરોના સર્વે કરાવ્યો હતો. વિનામૂલ્યે રાશન વિતરણમાં વોર્ડ પ્રમાણે એન.એફ.એસ.એ.માં સમાવિષ્ટ પરિવારોમાંથી ૧૫ પરિવારોને ૩૦ મીનીટમાં સામાજિક અંતર સાથે રાશન અપાયું. આમ, કુલ ૩૧૬ પરિવારોને સસ્તા અનાજની દુકાનેથી બે વાર વિનામૂલ્યે રાશન આપવામાં આવ્યું હતું.
ગામમાં રહેતા દિવ્યાંગ, નિરાધાર, વિધવા બહેનોને રાશન, દવા કે અન્ય જીવન જરૂરી વસ્તુ તેમને મળી રહે તે જવાબદારી પંચાયતે તકેદારીપૂર્વક ઉપાડી લીધી હતી. અહીં પરપ્રાંતીયો અને નિ:સહાય લોકોને ૧૫ સ્વયંસેવકો જમાડવાની કામગીરી કરે છે. બેંકના સહયોગથી બેંકના સદસ્યોએ ૧૮૯ જેટલા પરિવારોને ગામમાં સ્થાનિકો જ નાણાં ઉપાડી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી.હતી. મીડ ડે મીલમાં પણ બે દિવસમાં જ ટોકન પધ્ધતિથી આફત નિવારણ અને સજ્જતા કમિટીના સભ્યો દ્વારા ૧૪૪ કન્યા અને ૧૩૪ કુમારોને ટોકન વિતરણ કરાયા હતા. ગામમાં દાતાઓના સહયોગથી ૮૭ પરિવારોને એક મહિનો ચાલે તેટલુ રાશન અપાયું છે.
ગામના ખેડૂતોએ પણ પોતાની રાષ્ટ્ર ભાવના દેખાડી, તેમણે જરૂરતમંદ લોકોને મફત શાકભાજી આપી છે. લોકડાઉનમાં શ્રમિકોની રોજગારીનો પ્રશ્ન હતો જેને સ્થાનિક તંત્રના સંપર્ક અને સંકલનથી મનરેગા યોજના હેઠળ વનીકરણ પ્લોટમાં મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ૩ પરિવારોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા જેમની ''ગ્રામ આરોગ્ય સંજીવની સમિતિ'' દ્વારા નિયમિત દેખરેખ વહીવટી તંત્રની આગેવાની હેઠળ રાખવામાં આવી છે.

વૈશ્વિક મહામારી દરમિયાન ગ્રામવાસીઓ પર કોઇ મુશ્કેલી ન આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રની માર્ગદર્શિકા હેઠળ શાખા અને આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા કરવાનું આયોજન છે. લોકડાઉનમાં હળવી છૂટ અપાશે તો પણ પંચાયત લોકોને સાવચેતી રખાવશે. લોકોને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ સરળતાથી સતત મળી રહે તેની તકેદારી રાખી આયોજન ગોઠવવામાં આવ્યુ છે.
Thanks to etv for covered our story 

Comments

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે

ગ્રામ પંચાયત વિકાસ આયોજન આદર્શ બને એ ઇચ્છનીય છે                73 મો બંધારણીય સુધારો આવ્યો અને 1993થી પંચાયતીરાજ ધારો ગુજરાતમાં લાગુ પડયો આ અધિનિયમ થી સ્થાનીય શાસન માં ત્રણ સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ને મજબુત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી છે સુધારો થતા બંધારણમાં 243g ઉમેરવામાં આવી છે જે પંચાયતોમાં સામાજિકન્યાય અને આર્થિકવિકાસ માટે આયોજન કરવાનું સુચવાયેલ છે પરંતુ અલ્પ મદદ અને ક્ષમતાના અભાવે પંચાયતોમાં આયોજન થઈ શક્યા નહીં અઢી દાયકામાં સરકારે સ્થાનીક આયોજન બને એ માટે ઘણા નવતર પ્રયોગો કર્યા પણ આ બધા અપૂરતા રહ્યા  1 એપ્રિલ 2016થી ભારત સરકારે સબકી યોજના સબકા વિકાસ ના નામે ગામેગામ આયોજન બનાવવા આહ્વાન કરાયું પીપલ્સ પ્લાન કેમપેઈન થી ઘણા બધા ગામોએ પ્રયત્ન કર્યા તેમ છતાં આદર્શ પરિસ્થિતિ હજુ અપેક્ષિત છે આ વર્ષે જિલ્લા પંચાયત કચ્છ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ મળી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થઈ રહી છે જે આવકાર્ય પહેલ છે ગ્રામ પંચાયતોને આહ્વાન છે કે તમામ 632 પં...