Skip to main content

પાટડી તાલુકાના સરપંચો નો પ્રેરણા પ્રવાસ

ગત તારીખ ૨૯/૧/૨૦૧૯ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા ની ૭ ગ્રામ પંચાયતના સરપંચ અને ૨૩ જેટલા સભ્યોએ કુનરીયા ગામની મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન પંચાયતે કરેલી કામગીરી શરૂઆતના પડકારો શાસનમાં લોકોની ભાગીદારી પંચાયત દ્વારા કરવામાં આવેલા નવીનત્તમ પ્રયોગો અને પંચાયત દ્વારા કરવામાં આવેલ ગ્રામ પંચાયત વિકાસ આયોજન અંગે ની વાત સરપંચ શ્રી સુરેશ છાંગા દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના માધ્યમથી સમજાવવામાં આવી. આવેલા તમામ પ્રતિનિધિઓ સાથે સવાલ જવાબ પણ થયા. બાદમાં ગામની શાળાની મુલાકાત લીધી પ્રવૃત્તિમય શિક્ષણ અને રીચ ટુ ટીચ દ્વારા કરવામાં આવતી શિક્ષણ અંગેની પહેલ થી માહિતગાર કરાયા. આ ઉપરાંત પંચાયત દ્વારા નરેગા માંથી થયેલા કામો ની મુલાકાત લીધી. આમ આવેલા તમામ સરપંચો નો પ્રવાસ પ્રેરક રહ્યો સ્વાતી સંસ્થાના પ્રતિનિધિ સહદેવસિંહ જાડેજા સરપંચ અને તમામ ગામ લોકોનો આભાર માન્યો.




Comments

Post a Comment