Skip to main content

અંજાર તાલુકા સરપંચ સંગઠનના પ્રતિનિધિઓ કુનરીયા પંચાયતના વિકાસ કામો થી માહિતગાર થયા.



તારીખ 5 ફેબ્રુઆરી 2020 ના અંજાર તાલુકા સરપંચ સંગઠન ના 17 જેટલા સરપંચો અને સેતુ અભિયાન ના 3 પ્રતિનિધિઓ એ ભુજ તાલુકા ના કુનરીયા ગામ ની મુલાકાત લીધી શરુઆત મા અંજાર તાલુકા સરપંચ સંગઠન ના પ્રમુખ નુ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવા મા આવ્યુ બાદ મા ગ્રામ પંચાયત વિકાસ આયોજન કઈ રીતે કરવા મા આવે છે ઍ પ્રક્રિયા થી વાકેફ કરાયા આયોજન મા લોકો ની ભાગીદારી વધારવા માટે પંચાયત દ્વારા કરવા મા આવેલા નવીનતમ પ્રયોગો ની વાત થઈ યુવાનો બહેનો બાળકો દિવ્યાંગો વંચિત વર્ગ ના લોકોની માંગણીઓ આયોજન મા લેવા વિવિધ જુથો સાથે થયેલ બેઠકો અને એ માટે થયેલા પ્રયત્નો ની વાત કરવા મા આવી  આરોગ્ય શિક્ષણ ખેતી પશુપાલન પોષણ પાણી ગટર સ્વચ્છતા રસ્તા રોજગારી પેન્શન MGNREGA, NSAP, વગેરે ની વિગત વાર ચર્ચા કરાઈ 
ગ્રામ સભા અને સામાન્ય સભા મા લોકો ને સહભાગી કરવા માટે વિવિધ પ્રયોગો ઉપરાંત આયોજન અને એના અમલીકરણ મા આવતી મુશ્કેલીઓ અને એના સુચિત ઉપાયો ની પણ વાત  કરવા મા આવી ખાસ કરીને પંચાયતી રાજ અધિનિયમ ની જોગવાઈઓ ને આધારે સુશાસન વ્યવસ્થા તરફ પ્રયત્નો કરવા દિશા નિર્દેશ થયો
ત્યાર બાદ પંચાયત દ્વારા કરાયેલ કામો ની સ્થળ મુલાકાત લીધી જેમા શાળા મા વિધ્યાર્થીઑ ની હાજરી પ્રોત્સાહન માટે પંચાયત ની દરમ્યાનગીરી શાળા નુ આયોજન મા ગામ લોકો નુ યોગદાન વગેરે થી સરપંચો માહિતગાર થયા ઉપરાંત MGNREGA ના શ્રમિકો થી ઉભા કરાયેલ વનિકરણ સાઈડ ની મુલાકાત લીધી ઉપરાંત આંગણવાડી ના કાર્યકરો ની કામ  કરવા ની રિત અને  પાણી માટે તૈયાર કરાયેલ water security plan બાબતે અવગત થયા. સરપંચ સંગઠન જિલ્લા ની બધી સારી કામગીરી કરતી પંચાયતો ઍક બીજા માથી શીખે અને અમલ મા મુકે એ માટે સતત પ્રયત્નશીલ છે

આ તકે સંગઠન ના પ્રમુખ સામજી ભાઈ હિરાની અને તમામ હોદેદરો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા સેતુ માથી પ્રતિનિધિઓ જોડાયા હતા કોડકી સેતુ ના ભાવેશ ભાઈએ સંચાલન કર્યું હતુ

Comments

Popular posts from this blog

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુનરીયા માં કિશોરી મીટીંગ નું આયોજન થયું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને  વ્યાખ્યાયિત કરી છે આવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક અને માનસિક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.ઍન.કન્નર સાહેબ ડો ગૌતમ પરમાર અને ડો માયાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન હિમોગ્લોબીનની ઉણપથી થતા રોગો અને તકલીફો થી અવગત કરાયા આ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિડિયોફિલ્મ થી તરુણીઓને માહિતગાર કરાયા ,તમામ ઉપસ્થિત તરુણીઓનો બ્લડ ટેસ્ટ કરાયો B.M.I. તપાસી કુપોષણથી થતી તકલીફો થી અવગત કરાયા તમામ તરુણીઓને સેનેટરી નેપ્કીન આપીને સ્વચ્છતા પર ભાર મૂકવા આહ્વાન કરાયું દીકરી વ્યસનથી દૂર રહેવાની હાકલ કરાઈ. ટકાઉ વિકાસના માપદંડ 3 મુજબ આરોગ્ય અને સુખાકારી માટે પંચાયત નિયમિત પ્રયત્નશીલ છે ત્યારે તરુણી ઓ ને આવા પ્રકારના માર્ગદર્શનથી અનુગામી દિવસોમાં ખૂબ સારો ફાયદો થશે અને ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ બનતી અટકશે ખાસ કરીને બ્રેસ્ટ અને સર્વાઈક્લ  કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ ડીસીઝ માટે ઉપયોગી માહિતી અપાઇ. સારવાર ...