Skip to main content

ગ્રામસભા કે જે લોકોના અવાજ અને ઈચ્છાઓને પ્રતિબિંબ કરતું અને લોકશાહીને મજબૂત કરતું સૌથી મોટું માધ્યમ છે. કુનરીયા ગામ પંચાયતમાગ્રામ સભા યોજાઇ.





 ગ્રામસભા કે જે લોકોના અવાજ અને ઈચ્છાઓને પ્રતિબિંબ કરતું અને લોકશાહીને મજબૂત કરતું સૌથી મોટું માધ્યમ છે. કુનરીયા ગામ પંચાયત મા આજે ગ્રામ સભા યોજાઇ  ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક લોકોના સહયોગ થી ગ્રામસભા ઉપસરપંચશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમાં લોકોની ઈચ્છા મુજબ અને જરૂરિયાત મુજબના ૧૫માં નાણાપંચના વિકાસકામો બહુમતીથી નક્કી કરવામાં આવ્યા. લોકોને તમામ યોજનાકીય માહિતી આપવામાં આવી. રાશનના પ્રશ્નો, આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, બાયોગેસ,કરવેરા વિશે, યુવાઓના રોજગાર વિશે, અલગ અલગ વિભાગના કામો, કર્મચારીઓની કામગીરીની સમીક્ષા, પ્રિમોન્શુનની કામગીરી NSAP રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા કાર્યક્રમ હેઠળ ના લાભાર્થી ની યાદી નવા જોબ કાર્ડ ધારકો, પાછલા નાણાકીય વર્ષના હિસાબો ઓડિટ બાળ અધિકાર સલામતી અને રક્ષણ, મહિલા સલામતી,કિશોરીઓના અધિકાર અને કલ્યાણ, બાળલગ્ન નાબુદી અને અન્ય અગત્યનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ. શિસ્તબદ્ધ રીતે અને લોકશાહી ઢબે લોક બહુમતી કે સર્વાનુમતે નિર્ણયો થયાં. ગ્રામસભાઓ ભરાય અને લોકોનાં હાથમાં જ સત્તા રહે એ સુનિશ્ચિત થવું જોઈએ.

Comments

  1. Appreciate your dedication towards the development of Kunariya village and Gujarat. Gathering the youths and spreading awareness of government schemes. Proud of the Sarpach and Talati and gram sevak of Kunariya. Keep going 👍
    From- Mahendrasinh Lakhyarji Sodha (Loriya-Bhuj)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુનરીયા માં કિશોરી મીટીંગ નું આયોજન થયું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને  વ્યાખ્યાયિત કરી છે આવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક અને માનસિક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.ઍન.કન્નર સાહેબ ડો ગૌતમ પરમાર અને ડો માયાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન હિમોગ્લોબીનની ઉણપથી થતા રોગો અને તકલીફો થી અવગત કરાયા આ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિડિયોફિલ્મ થી તરુણીઓને માહિતગાર કરાયા ,તમામ ઉપસ્થિત તરુણીઓનો બ્લડ ટેસ્ટ કરાયો B.M.I. તપાસી કુપોષણથી થતી તકલીફો થી અવગત કરાયા તમામ તરુણીઓને સેનેટરી નેપ્કીન આપીને સ્વચ્છતા પર ભાર મૂકવા આહ્વાન કરાયું દીકરી વ્યસનથી દૂર રહેવાની હાકલ કરાઈ. ટકાઉ વિકાસના માપદંડ 3 મુજબ આરોગ્ય અને સુખાકારી માટે પંચાયત નિયમિત પ્રયત્નશીલ છે ત્યારે તરુણી ઓ ને આવા પ્રકારના માર્ગદર્શનથી અનુગામી દિવસોમાં ખૂબ સારો ફાયદો થશે અને ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ બનતી અટકશે ખાસ કરીને બ્રેસ્ટ અને સર્વાઈક્લ  કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ ડીસીઝ માટે ઉપયોગી માહિતી અપાઇ. સારવાર ...