Skip to main content

કુનરિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળતા ગ્રામજનો

 કુનરિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળતા ગ્રામજનો


*વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ એક જ જગ્યાએ મળી રહે છે - સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા*


*સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલનો અનુરોધ*


*વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છના કુનરિયા ગામે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો હાથોહાથ અપાયા*








આજરોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા  નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેનું જીવંત પ્રસારણ કુનરિયા ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનોએ નિહાળ્યું હતું.

કુનરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સહિત મહાનુભાવોએ રથને આવકાર્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં વડાપ્રધાનશ્રીનો રેકોર્ડેડ સંદેશ અને ઓપનીંગ મૂવી સૌ ઉપસ્થિતોએ નિહાળી હતી. 

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ આપવા માટે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તેવું આયોજન આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કરાયું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જ્યારે કચ્છના ગામડાઓમાં આવે ત્યારે સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા નાગરિકોને સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. 

  ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સરકાર સહિયારા પ્રયત્નોથી તમામ લાભાર્થીઓને લાભ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગામડે ગામડે પાત્રતા ધરાવતા નાગરિકોને શોધીને તેમને હાથોહાથ લાભ આપવામાં આવી રહ્યો છે. સરકારની કલ્યાણકારી યોજનાઓથી ગામડાઓ સદ્ધર બને અને ભારત વિકસિત બને તે દિશામાં સૌને સહયોગ આપવા ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી. 

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરીને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સૌને આવકાર્યા હતા. શ્રી અરોરાએ કાર્યક્રમના આયોજન અંગેની વિગતો આપીને લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. 

મહાનુભાવોના હસ્તે કુનરિયા ગામના વિવિધ લાભાર્થીઓને ટેક્ટ્રર ખરીદીમાં સબસિડી સહાય, પ્રધાનમંત્રી આયુષ્માનકાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને સખી મંડળને સ્ટાર્ટ અપ ફંડ વગેરેના લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતી કરે પુકાર... કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાલિકા પંચાયતના સભ્યોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કુનરિયા ગામમાં  ઓડીએફ પ્લસ અને હર ઘર જલના લક્ષ્યાંકને હાંસલ કરવા બદલ સરપંચ શ્રીમતિ રશ્મિબેન છાંગાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે સહાય મળતા ગામના રહેવાસી શ્રી નિતેશભાઈ ડાંગરે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કુનરિયા ગામના ઉપ સંરપચશ્રી સુરેશભાઈ છાંગાએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી મનનભાઈ ઠક્કરે કર્યું હતું. 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન કાર્યક્રમ સમયે મહત્તમ લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તે ઉમદા હેતુસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેમ્પ, રેડ ક્રોસના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ કેમ્પ, પીએમ વિશ્વકર્મા યોજના, પોષણ યોજના, પ્રાકૃતિક ખેતી વેચાણ અને માર્ગદર્શન કેમ્પ, સ્વામિત્વ યોજના, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન સહાય અને મહિલા બાળ વિકાસની યોજના, મિશન મંગલમ સહિત યોજનાઓના કેમ્પ રાખવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દામજીભાઈ ચાડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણી સર્વેશ્રી દેવજીભાઈ વરચંદ, દિલિપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જયંતભાઈ માધાપરિયા, હઠુભા જાડેજા, લક્ષ્મણભાઈ મેરિયા, હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ડીઆરડીના નિયામકશ્રી આર.કે.ઓઝા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 


Comments

Popular posts from this blog

કુનરિયા પ્રાથમિક શાળા મા વાર્ષિકોત્સવ ઉજવાયો 8 માર્ચ 2019

કોઈ મોટી કોલેજના વાર્ષિકોત્સવમાં ભાગ્યેજ 400થી 500 વાલીઓ એમના  બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હશે અને એમાંય કેટલાય પરાણે આવતા હોય છે પણ ગત તારીખ 8 માર્ચના રોજ કુનરીયા પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો 271 વિદ્યાર્થીઓના 408 જેટલા વાલીઓ આ વાર્ષિકોત્સવમાં જોડાયા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કચ્છયુનિવર્સિટી  ના પ્રાધ્યાપકો ચિરાગ પટેલ જીગ્નેશ ભાઈ તાળા શિતલ બેન તાલુકા શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને શિક્ષણ પ્રેમી ઉપસ્થિત રહ્યા સામાન્ય રીતે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિકોત્સવની ઉજવણી નથી થતી ત્યારે કુનરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો એસ.એમ.સી. અભિયાન અને પંચાયતના પ્રયત્નોથી આ ઉત્સવની ઉજવણી કરાઈ વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ અને વિદ્યાર્થીઓ અને શાળાએ મેળવેલી સિદ્ધિઓ ગામલોકો અને મહેમાનો સામે મૂકવામાંઆવ્યુ આગામી વર્ષનું આયોજન પણ ગામલોકો સામે મૂકવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતથી બાળકોએ મહેમાનો ને મંત્રમુગ્ધ કરી નાખ્યા ખાસ કરીને એસ.એમ.સી.ના સભ્યો અને અટેન્ડન્સ ચેમ્પિયન નુ સન્માન એ આ કાર્યક્રમમાં આકર્ષણ હતો સામાન્ય વ્યક્તિ શિક...

કિશોરી ધાત્રી માતા અને બાળ, પૌસ્ટિક આહાર થી લેશું સંભાળ.સુત્ર સાથે કુનરીયા મા પોષણ માસ ની ઊજવણી કરાઈ Nutrition Month celebrated for Adolescent midwife mother and child, to take care with nutritious food in kunariya village

વર્ષ 2018 થી કેંદ્ર સરકારે સપટેંબર મહિના ને પોષણ માહ તરીકે ઊજવણી કરવાનુ નક્કિ કર્યુ  દરેક ગામ ની આંગણવાડી કેંદ્ર મા આની ઊજવણી કરવા મા આવે છે કુનરીયા પંચાયત મા પણ આવી ઊજવણી દર વર્ષે થાય છે પણ આ વર્ષ તકેદારી  કાળજી અને જવાબદારી નુ વર્ષ છે કોવિદ સામે તો લડવા નુ જ એની સાથે સાથે પોષણ સબંધીત માપદંડો મા પણ ખરા ઉતરવા નુ આંગણવાડી ના કાર્યકર ગીતા બેંન મનિષા બેન પાર્વતી બેન કંકુબેન અને શાંતાબેન ના સયુક્ત પ્રાયાત્નો થી આ મોરચે પણ કુનરીયા મા નોધ પાત્ર કામો થયા છે ઉમર ઊંચાઈ અને વજન ને ધ્યાને રાખતા કેટલા બહેનો કે  બાળકો અપેક્ષીત માપદંડો મા ખામીઓ ધરાવે છે તો આવા બહેનો અને બાળકો ને વિશિષ્ટ કાળજી સાથે જરુરી આહાર લેવા પ્રોત્સાહિત કરવા મા આવે છે દિનચર્યા સબંધીત સુચનો અપાય છે કયો આહાર ક્યારે લેવો કયા પ્રકાર આહાર મા પ્રોટિન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન જેવા જરુરી પોષક તત્વો રહેલા છે જેની માહિતિ અપાય છે રસોઇ ની સ્પર્ધા યોજવામાં આવે છે ગત સપ્તાહ સલાડ શણગાર સપ્તાહ તરીકે ઉજવવા મા આવ્યો મોટી સંખ્યા મા કિશોરીઓ એ ભાગ લીધો સતત માર્ગદર્શન અને પ્રયત્નો થી આહાર લેવા ની આદતો મા બદલાવ આવ્યો છે અને એના સુખદ પરિ...

રાષ્ટ્રીય કિશોર કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુનરીયા માં કિશોરી મીટીંગ નું આયોજન થયું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ તરુણો માટે ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરને  વ્યાખ્યાયિત કરી છે આવી તરુણ વય ની દીકરીઓને આ ઉમરે આવતા શારીરિક અને માનસિક ફેરફાર અને એના કારણે થતા વર્તન માં ફેરફાર અને એ દરમ્યાન લેવાની થતી કાળજી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો પી.ઍન.કન્નર સાહેબ ડો ગૌતમ પરમાર અને ડો માયાબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન હિમોગ્લોબીનની ઉણપથી થતા રોગો અને તકલીફો થી અવગત કરાયા આ માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિડિયોફિલ્મ થી તરુણીઓને માહિતગાર કરાયા ,તમામ ઉપસ્થિત તરુણીઓનો બ્લડ ટેસ્ટ કરાયો B.M.I. તપાસી કુપોષણથી થતી તકલીફો થી અવગત કરાયા તમામ તરુણીઓને સેનેટરી નેપ્કીન આપીને સ્વચ્છતા પર ભાર મૂકવા આહ્વાન કરાયું દીકરી વ્યસનથી દૂર રહેવાની હાકલ કરાઈ. ટકાઉ વિકાસના માપદંડ 3 મુજબ આરોગ્ય અને સુખાકારી માટે પંચાયત નિયમિત પ્રયત્નશીલ છે ત્યારે તરુણી ઓ ને આવા પ્રકારના માર્ગદર્શનથી અનુગામી દિવસોમાં ખૂબ સારો ફાયદો થશે અને ઘણી બધી ગંભીર બીમારીઓનો ભોગ બનતી અટકશે ખાસ કરીને બ્રેસ્ટ અને સર્વાઈક્લ  કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ ડીસીઝ માટે ઉપયોગી માહિતી અપાઇ. સારવાર ...